Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ભાણવડના રેટાકાલાવડ માં તળાવના કામમાં ગેરરીતિ મુદ્દે ખેડૂતો દ્વારા હલ્લાબોલ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી

ખંભાળિયા ::ગુજરાત સરકાર ના નર્મદા જળ સંચય અને કલ્પસર વિભાગ અંતર્ગત બનાવવામાં આવેલ તળાવ ના કામ માં લોલમ લોલ સામે આવતા 11 ગામોના ખેડૂત વિફર્યા હતા

ભાણવડ તાલુકા ના રેટા કાલાવડ ખાતે બની રહેલ 1.60 કરોડથી વધુ ના ખર્ચે બની રહેલ તળાવ નું કામ અધૂરું મૂકી કોન્ટ્રાક્ટર ચાલ્યા જતા તેમજ કામ હલકી ગુણવતા નું થયું હોવાની રાવ સાથે 11 ગામના 300 જેટલા ખેડૂતો એ હલા બોલ કર્યો હતો

તો અનેક ખેડૂતો ની જમીન આ કામે  સંપાદન થઈ હોવા છતાં વળતર નહિ મળતા ખેડુતો  મેદાનમા આવ્યા છે

ત્વરીતે યોગ્ય નિકાલ નહિ કરાઇ તો 11 ગામો એક સાથે કરશે લોકસભા  ચૂંટણી નો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે

(4:59 pm IST)