Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

મોરબી રાજવી પરિવાર દ્વારા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ અર્થે શાંતિ યજ્ઞ.

મોરબીમાં મચ્છુ જળ હોનારતના ૪૩ વર્ષ બાદ ફરી ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ૧૩૫ થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે જે દુર્ઘટનાથી દુખી થઈને મોરબીનો રાજવી પરિવાર પણ વ્યથિત થયો હતો અને તાત્કાલિક મૃતકોને સહાય જાહેર કર્યા બાદ મૃતકોની આત્માની શાંતિ અર્થે આજે શાંતિ યજ્ઞ રાખવામાં આવ્યો હતો
મોરબીના રાજમાતા વિજયકુંવરબા સાહેબ, તથા રાજકુંવરીબા સાહેબ મીરાં બાપા, માયાબાપા, ઉમા બાપા અને સમગ્ર રાજવી પરિવારે દુર્ઘટના પ્રત્યે દુખની લાગણી વ્યક્ત કરી હતી તેમજ મૃતકોની આત્માની શાંતિ અર્થે આજે દરબાર ગઢ ખાતે શાંતિ યજ્ઞ યોજાયો હતો જેમાં રાજવી પરિવાર, શહેરના અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.

(11:03 pm IST)