Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

વૃક્ષ કાપતી વખતે વિજ શોક લાગતા સુરેન્દ્રનગરમાં દેવીપૂજક યુવકનું મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩ : સુરેન્દ્રનગર શહેરના ૮૦ ફૂટ રોડ ઉપર આવેલ શાક માર્કેટ નજીક હનુમાનજીના મંદીરના પટાગણમાં વાવેલુ પીપળનું ઝાડ દેશળભગતની વાવ પાસે રહેતા મનોજભાઈ મનસુખભાઈ ચુવાર ઉંમર ૨૮ વર્ષ જાતે દેવીપૂજક સમાજનો યુવાન મોટા વૃક્ષની ધારીયા વડે ડાળીઓ કાપતા સમયે ઝાડ ઉપરથી પસાર થતો હાઈ પાવરનો જીવતો વીજ વાયર અચાનક અડી જતા ઘટનાસ્થળે આ યુવક ઢળી પડયો હતો.

આ ઘટનાના પગલે આજુબાજુ વિસ્તાર સહિતના લોકોના ટોળા ઉમટી પડયા હતા તાત્કાલિક પીજીવીસીએલ વીજ કંપની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ દેવીપૂજક સમાજના યુવાનને સારવાર અર્થે જાગૃત નાગરિકો દ્વારા શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

ગાંધી હોસ્પિટલના ફરજ પરના ડોકટરે આ યુવકને મૃત જાહેર કરતા દેવીપૂજક સમાજમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી અને ચુવાર પરિવારમાં દીવાળીના પર્વ ઉપર શોકનો માહોલ છવાય જવા પામ્યો હતો અને આ યુવાનનું પી.એમ ગાંધી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હોવાની માહિતી સુત્રો પાસેથી મળવા પામી છે.

(10:48 am IST)