Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

પોરબંદરમાં જવાહર નવોદયના સસ્પેન્ડ પ્રિન્સીપાલ દ્વારા વિદ્યાર્થીનીને અભ્યાસ માટે વધુ દબાણ કરાતું ?

અભાવિપ અને યુવા ભાજપ દ્વારા ઉગ્ર રજુઆત બાદ ઉંડાણ પુર્વક તપાસ કામગીરી

પોરબંદર તા.૩ : જવાહર નવોદય વિદ્યાલયના સસ્પેન્ડ પ્રિન્સીપાલ દ્વારા આત્મહત્યા કરેલ વિદ્યાર્થીનીને અભ્યાસ માટે પરીક્ષાની તૈયારી માટે વધુ પડતુ દબાણ કરાતુ હોવાનું પ્રાથમિક તારણ છે આ બનાવ અંગે ઉંડાણપુર્વક તપાસ ચાલી રહી છે.

અગાઉ વિદ્યાર્થીનીના આત્મહત્યાનો મામલો છુપાવવા કોશીષ કરવામાં આવી હતી પરંતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ અને યુવા ભાજપ દ્વારા ઉગ્ર રજુઆત બાદ હકીકત ખુલતા પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરવામાં આવેલ અભાવિપ અને યુવા ભાજપના પ્રમુખ સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી ગયેલ બીજી તરફ ઉચ્ચકક્ષાએ જાણ કરાય છે કે આ બનાવ ખોટો અને સાચી દિશામાં તપાસની જરૂર છે.

(1:17 pm IST)