Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

મોરબીઃ વિજશોક લાગતા બે યુવાનોના મોત

ઘુંટુ ગામે વિજ કરંટ લાગતા સોનુકુમાર પાસવાન અને લાલપર ગામે મુકેશભાઇ તળવીનુ મોતઃ

મોરબી તા.૦૩:  મોરબી પંથકમાં વિજશોક લાગતા બે યુવાનોના મોત નિપજ્યા હતા.

મોરબીના ઘુટુ ગામે આવેલ શ્રી રામ પેકેજીંગમાં સહિતને કામ કરતા સોનુકુમાર યોગેન્દ્રકુમાર પાસવાનને ગત તા.૨ ના રોજ કારખાનામાં કામ કરતી વેળાએ કોઈ કારણોસર ઇલેકિટ્રક શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ લોરેન્જો વીટ્રીફાઈડ કારખાનામાં રહીને કામ કરતા મુકેશભાઈ ડાયાભાઇ તળવી (ઉ.૩૪) ગત તા. ૨ ના રોજ કામ કરી રહ્યા હતા દરમિયાન તેને વીજ શોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે નોંધ કરી મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:16 pm IST)