Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

પડધરીના ધ્રોકડવામાં દાહોદની યુવતિ ટીનાનું ઝેરી અસરથી મોત

રાજકોટ તા. ૩: પડધરીમાં છગનભાઇ પટેલની વાડીમાં પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતી ટીના કાળુભાઇ ગોહેલ (ઉ.૧૮)  ગઇકાલે વાડીએ બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે પડધરી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને બે બહેનમાં નાની હતી. ઝેરી અસરથી મોત થયાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. ટીનાએ ઝેરી દવા પીધી હતી કે કેમ? તે અંગે પરિવારજનો અજાણ છે. પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

 

(12:07 pm IST)