Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

કાલે ભાવનગર ફકીર જમાતનું સંમેલન

એસ.સી.એસ.ટી.નો લાભ મળે તે માટે કલેકટરને આવેદન પત્ર અપાશે

ભાવનગર તા.૩: ભાવનગર શહેરની ઝીન્દાશાંમદાર મુસ્લિમ ફકીર જમાતની જનરલ મિટીંગ સાધારણસભા અને સંમેલન ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે સાંઢીયાવાડ વિસ્તારમાં આવેલા અરબ જમાતખાનામાં રાખવામાં આવેલ છે.

 

આ સંમેલનમાં અતિથિ વિશેષ પદે ઓલ ગુજરાત દિવાન-ફકીર સમાજના પ્રમુખ એ.બી. ફકીર(અમદાવાદ), અખીલ સોૈરાષ્ટ્ર -કચ્છ ફકીર સમાજના પ્રમુખ ઇરફાનશાંબાપુ સોહરવર્દી સહિતના સમાજના મહાનુભાવો, આગેવાનો ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં ફકીર સમાજનું સંગઠન મજબુત બનાવવું, સમાજના વિકાસ અર્થે રાજય સરકાર વિશેષ પેકેજ જાહેર કરે તેવી માંગ કરવી, હાલમાં ફકીર સમાજનો ફકત ઓ.બી.સી. માં સમાવેશ થયો છે. પરંતુ હકીકતે આ સમાજને એસ.સી. એસ.ટી. માં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવા રાજય સરકાર સમક્ષ ભાવનગર જિલ્લા કલેકટરને સમાજના આગેવાનો દ્વારા આવેદન પત્ર પાઠવી રજુઆતો કરવામાં આવશે. ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં વસ્તા ફકીર સમાજના બિરાદરોને આ જનરલ સભામાં ઉપસ્થિત રહેવા ભાવનગરની ઝીન્દાશાંમદાર મુસ્લિમ ફકીર જમાતના પ્રમુખ દિલાવરહુસેન મહંમદહુસેન કુરેશી, ઉપ પ્રમુખ યુનુસ કાદરી, મંત્રી જાકીરહુસેન મહંમદહુસેન કુરેશી, પ્યારઅલી કુરેશી સહિતના આગેવાન કાર્યકરો આ કાર્યક્રમને સફળ બનાવવા સારી જહેમત ઉઠાવી રહા છે.

 

(11:51 am IST)