Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ધોરાજી માંથી 58 વર્ષીય લોહાણા મુકેશભાઈ ગણાત્રા કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા :પોલીસ સ્ટેશનમાં ગુમ થતાં ફરિયાદ નોંધાવાય

કોઈને જાણ થાય તો તાત્કાલિક ધોરાજી પોલીસ સ્ટેશન 02824 221870 તેમજ પ્રવીણભાઈ હિંડોચા મોબાઈલ નંબર 98244 96930 પર સંપર્ક કરવા અનુરોધ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)  ધોરાજી: ધોરાજીના સ્ટેશન રોડ ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણભાઇ પ્રભુદાસભાઈ હિંડોચા એ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ગુમસુદા ફરિયાદ નોંધાવતા જણાવેલ કે તેમના શાળા મૂળ ભાવનગરના હાલ તેમની સાથે રહેતા મુકેશભાઈ મંગળદાસ ગણાત્રા ઉંમર વર્ષ 58 છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાથે  નિવૃત્તિ જીવન ગાળતા રહેતા હતા અને ગઈ તારીખ 28 /7 /2021 ના રોજ સવારે દસેક વાગ્યે આસપાસ ફરિયાદી ના પત્ની મંદિરે દર્શન કરવા ગયા હોય ત્યારે એ સમય દરમિયાન મુકેશભાઈ ગણાત્રા ઘરેથી કોઈને કહ્યા વગર જતા રહેતા જે અંગે જાણ થતા તાત્કાલીક સગા વાલા મિત્ર મંડળ અને જાણકારી શોધ કરેલી તેમજ આજુબાજુના વિસ્તારોમાં વીરપુર જેતપુર જૂનાગઢ જેવા શહેરોમાં પણ તપાસ કરવા છતાં મળી આવેલ નથી જેથી ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ આપેલ કે મુકેશભાઈ મંગળદાસ ગણાત્રા ઉંમર વર્ષ 58 તેઓ ટૂંકા સફેદ વાળ ધરાવે છે જે ટૂંકી મૂછ ધરાવે છે તેમજ ફેન્સી ટોપી પહેરેલી છે અને બ્લુ ચેકસ વાળો શર્ટ અને બ્લુ જીન્સ પહેરીને ઘરેથી જતા રહ્યા છે જે કોઈને જાણ થાય તો તાત્કાલિક ધોરાજી પોલીસ સ્ટેશન 02824 221870 તેમજ પ્રવીણભાઈ હિંડોચા મોબાઈલ નંબર 98244 96930 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે

(7:32 pm IST)