Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

કામ ધંધો ન ચાલતા આર્થિક ભીંસથી કંટાળી માળીયાના યુવાનનો આપઘાત

ઝાંપોદડના વૃધ્ધની બિમારીથી કંટાળી આત્મહત્યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩: કામ ધંધો ન ચાલતા આર્થિક ભીંસથી કંટાળી માળીયાના યુવાને અને ઝાંપોદડ ગામના વૃધ્ધાએ બિમારીથી વાજ આવીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના ખાતે આંબેડકર નગર-૧માં રહેતા ગૌતમભાઇ ખાખાભાઇ સોંદરવા (ઉ.૩પ) નામનો યુવાને કોઇ કામ ધંધો ચાલતો ન હોય જેથી આર્થિક ભીંસમાં મુકાય ગયો હતો.

જેનાથી કંટાળી ગત તા.૩૧/૮ના રોજ એસીડ પી લેતા તેને જુનાગઢ સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જયા ગઇકાલે સાંજે ગૌતમ સોંદરવાનું મોત થતા પરિવારમાં ગમગીની પ્રસરી ગઇ હતી.

વિશેષ તપાસ પોલીસ જમાદાર એન.એન. ડાંગર ચલાવી રહ્યા છે.

આત્મહત્યા

વંથલી તાલુકાના ઝાંપોદડ ગામના નંદુબેન નારણભાઇ મેંદપરા (ઉ.૭૦) એ ફેફસાની બિમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાયને મોતને મીઠુ કરી લેતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:05 pm IST)