Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

શ્રી પીપળેશ્વર મહાદેવજીના મંદિરમાં 'શારડા ફોરેકસ પરિવાર દ્વારા ૪૦૦ ગ્રામ ચાંદીના છત્તર અર્પણ'

જામનગર : સેન્ટ્રલ બેંક રોડ, ધ્રુવ ફળી, પ્રાગરાય નિવાસ પાસે આવેલ 'પૌરાણીક પીપળેશ્વર મહાદેવ'ના મંદિરમાં સ્વ.સુભાષભાઇ રજનીકાંતભાઇ શારડા, સ્વ.મનીષાબેન રામભાઇ શારડાના સ્મરણાર્થે પીપળેશ્વર મહાદેવના મંદિરમાં ૪૦૦ ગ્રામ ચાંદીનું છત્તર અર્પણ કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત તસ્વીરમાં સમસ્ત શારડા પરિવારના મોભી રામભાઇ હરીઓમભાઇ તેમજ તેમનો પરિવાર દષ્ટિમાન છે. આ ચાંદીનું છત્તર શ્રી પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળના પુજારી પરિમલભાઇ ભટ્ટ તેમજ આજ વિસ્તારના યુવા એડવોકેટ પાર્થ ડી.સામાણી તથા મિત્ર મંડળના સભ્યોએ ચાંદીનું છત્તર સ્વીકારી આભાર માનેલ હતો. ત્યારે શારડા પરિવારે જણાવ્યું હતુ કે જ્યારે પણ પીપળેશ્વર મહાદેવ મંદિર માટે અમારી કયાંય પણ તન, મન અને ધનની જરૂર પડશે ત્યારે અમો શ્રી પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ સાથે ખડે પગે, અડીખમ સાથે રહીશું તેવો કોલ આપ્યો હતો. (તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)

(1:03 pm IST)