Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જૂનાગઢ ગિરનારની ટોચે માં અંબાજીના દર્શને અંજલીબેન રૂપાણી

જૂનાગઢ : ગિરનારની ટોચ ઉપર બીરાજમાન જગત જનની માં અંબેના પુરા ભાવ સાથે દર્શન કરી ધન્ય બનતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી માં અંબે માતાજીની પુજા,અર્ચના કરી હતી. આ તકે મહંતશ્રી તનસુખગીરી બાપુએ અંજલીબેનને માતાજીની પ્રસાદી રૂપ ચુંદડી અને પ્રસાદ અર્પણ કરી માં ના રૂડા આશિર્વાદ આપ્યા હતા. ગિરનાર અંબાજી માતાજીના દર્શને અંજલીબેન રૂપાણીએ પુરા ભાવ સાથે પૂજા, અર્ચન કરી માં નાં રૂડા આર્શીવાદ લીધા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા- જૂનાગઢ)

(12:56 pm IST)