Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

પોરબંદરમાં પુ.ભાઇશ્રી દ્વારા કૃષ્ણજન્મોત્સવ

જુનાગઢ : પોરબંદરમાં સાંદિપની શ્રી હરિ મંદિર ખાતે રાષ્ટ્રીય સંત પ્રખર ભાગવતાચાર્ય શુકદેવજી સ્વરૂપ પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની નિશ્રામાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી નંદોત્સવ ઉજવવામાં આવેલ. તેમજ કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરી ઉપરોકત તસ્વીર ભગવાનશ્રી કૃષ્ણને તિલક કરી પારણે ઝુલાવી ભાવિકો સાથે કોવિડની સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ ઉજવણી કરી અને નંદઘેર આનંદ ભૈયો જય કનૈયા લાલકીના નાદ સાથે સૌ ભકતો સાથે ગાન કરી કૃષ્ણ જન્મોત્સવને વધાવવામાં આવેલજે નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ

(10:17 am IST)