Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

સુરેન્દ્રનગરમાં હબીબ મિયાણાની હત્યા

અજાણ્યા શખ્સોની શોધખોળઃ મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળ્યો

વઢવાણ, તા., ૩: સુરેન્દ્રનગરમાં માલધારી યુવકની હત્યાની શાહી સુકાઇ નથી ત્યાં મિયાણા યુવકની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસારમાં સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલ મિયાણા વાડમાં રહેતો હબીબ લાખુભાઇ મિયાણા નામનો યુવક સુરેન્દ્રનગર કોર્ટ પાસે પાનનો ગલ્લો ચલાવતો હતો.

ત્યારે બુધવારે રાત્રીના સાડા અઠ વાગ્યાના અરસામાં ફોન આવતા પોતાના ઘરેથી બાઇક લઇને નિકળ્યા બાદમાં ઘરે પરત ફરેલ નહી ત્યારે ઘરના સભ્યો હબીબની શોધખોળ ચલાવતા હતા ત્યારે પોલીસે જાણકારી આપતા હબીબની લાશ ખમીયાણા પાસે કેનાલ પસાર થાય છે જે મોરબી માળીયા કેનાલમાંથી લાશ મળી આવેલ હતી. જે હત્યા નીપજાવી લાશને કેનાલમાં નાખી હોવાનું પુરવાર થાય છે ત્યારે પોલીસ તપાસ ચલાવી રહી છે.

(4:15 pm IST)