Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

જુનાગઢનાં ખામધ્રોળની સગીરાનું છરીની અણીએ અપહણ બાદ નરાધમ દ્વારા દુષ્કર્મઃ આરોપી અનીલ રાઠોડની શોધખોળ

જુનાગઢ, તા., ૩: જુનાગઢના ખામધ્રોળની સગીરાનું છરીની અણીએ અપહરણ કરી જઇ બાદમાં નરાધમે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરીયાદ થઇ હોવાનું જાણવા મળેલ છે.

વિગતો એવી છેક કે જુનાગઢ તાલુકાના ખામ્રધોળ ગામે પાણીના ટાંકા પાસે રહેતા અને પરીવારની ૧પ વર્ષની સગીર વયની પુત્રીને પાડોશી અનીલ ગોવિંદભાઇ રાઠોડ નામનો શખ્સ ૧ લી જુલાઇના રોજ બપોરના છરી બતાવી ધમકી આપીને સગીરાનું પોતાના મોટર સાયકલ પર બેસાડીને અપહરણ કરી ગયો હતો.

આ પછી અનીલ રાઠોડે તરૂણીને પોતાના ઘરે લઇ શરીર સબંધ બાંધ્યો હતો.

આ મતલબની ફરીયાદ ભોગ બનનાર કિશોરીની માતાએ ગત રાત્રે જુનાગઢ તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે અપહરણ બળાત્કારનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.તાલુકા પીએસઆઇ પી.વી.લક્કેડે અનીલ રાઠોડની ધરપકડ માટેના ચક્રો ગતીમાન કર્યા છે.

(11:45 am IST)