Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

વેરાવળ - સોમનાથ - સુત્રાપાડામાં બંધ મિશ્ર

 વેરાવળ : સોમનાથ સુત્રાપાડા દલીત સંગઠનો દ્રારા એટ્રોસીટીના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે બંધ નું એલાન આપેલ હતું તેમાં મોટી સંખ્યામાં દલીત સમાજના લોકો ટાવર ચોકે ભેગા થઈ મુખ્ય બજારોમાં ફરેલ હતા જેથી બે થી ત્રણ કલાક મુખ્ય બજારો બંધ રહેલ હતી. સોમનાથમાં બંધની કોઈ અસર દેખાતી નોતી સુત્રાપાડામાં પણ ર થી ૩ કલાક દુકાનો બંધ રહેલ હતી તેમજ એસ.ટી.ડેપો દ્રારા પરીસ્થીતીને અનુલક્ષીને બંધ કરવામાં આવેલ હતા એટ્રોસીટી એકટ મુદે યોગ્ય કરવા આવેનદ પત્ર આપેલ હતું. (તસ્વીર - અહેવાલ : દિપક કક્કડ દ્વારા)

(4:04 pm IST)