Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

સુરેન્દ્રનગરના કલેકટર ઉદીત અગ્રવાલની બદલીઃ કનકીપતી રાજેશ નવા કલેકટર

 વઢવાણ તા. ૩ : સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયથી કલેકટર પદે રહેલા ઉદીત અગ્રવાલની બદલી કરીને પંચમહાલ ખાતે મુકાયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ઉદીત અગ્રવાલ અનવિવાદીત કલેકટર તરીકે છાપ તેમની રહેલી છે જયારે અનેક રજુઆતોને ઉદીત અગ્રલો પ્રાધાન્ય આપવામાં આવેલ તરણેતરના મેળામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું કલાત્મક છત્રીઓ સાથે અભિવાદન કાર્યક્રમ કરી પોતે એક સારી છાપ લઇને સુરેન્દ્રનગરમાંથી બદલી પામીને જઇ રહ્યા છે.

જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલ પંચમહાલ ખાતે બદલી થયેલ છે. જયારે સુરેન્દ્રનગરમાં નવા કલેકટર તરીકે કનકીપતી રાજેશને મુકાયા છે. ત્યારે કલેકટર રાજેશ સુરેન્દ્રનગર જિલ્લાની જનતાની એક અવાજ સાંભળે ન્યાય તોળે અને સારી એવી કામગીરી કરે તેવી લોકમાંગણી લોકોમાં ઉઠવા પામેલ છે.

(4:01 pm IST)