Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ધોરાજી ચૈતન્ય હનુમાનજીને ૫૬ ભોગ અર્પણ

ધોરાજી : ચૈતન્ય હનુમાનજી મંદિર આહ્વાન અખાડા ખાતે શ્રીમહંત શ્રી દિગમ્બર લાલુગીરીજી મહારાજ ગુરૂશ્રી શિવસાગરજી મહારાજના સાનિધ્યમાં હનુમાન જયંતિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે વહેલી સવારથી જ હનુમંત મારૂતી મહાયજ્ઞ યોજાયો હતો જેમાં શ્રી ચૈતન્ય હનુમાનજી મહારાજને ૫૬ જાતની મીઠાઇ સાથે ભોગ ધરવામાં આવેલ હતો. આ પ્રસંગે સૌરાષ્ટ્રભરમાંથી સાધુ સંતો પધારેલ હતા અને મોટી સંખ્યામાં બટુક ભોજન, સંત ભોજન બાદ તમામ ભકતોએ મહાપ્રસાદ લીધો હતો. શ્રી ચૈતન્ય હનુમાનજી મહારાજને ૫૬ ભોગ ધરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ દિવ્યદર્શનનો લાભ લીધો હતો. (તસ્વીર - અહેવાલ : કિશોર રાઠોડ - ધોરાજી)

(12:57 pm IST)