Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

હળવદમાં શ્રી સદગુરૂ ગૌસેવા ભજન મંડળનું અનેરૂ સેવાકાર્ય

હળવદ, તા., ૩: શ્રી સદગુરૂ ગૌસેવા ભજન મંડળ એક અનોખુ સેવા કાર્ય કરે છે. આવા ઉમદા કાર્યમાં પત્રકાર હરેશભાઇ રબારી તથા દિનેશભાઇ રબારી તેમના પિતાશ્રી સ્વ. કાનાભાઇ રબારીની પુણ્યતીથી નિમિતે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરેલ હતું. જેમાં મંડળના હસમુખભાઇ ગજ્જર, ખીમજીભાઇ કણઝરીયા, લીંબાભાઇ રબારી, રામજીભાઇ સિંધવ વગેરે કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી.

આ સદગુરૂ ગૌસેવા ભજન મંડળ ફાળામાં અને ઘોરમાં મળેલી તમામ રકમ ગૌ સેવામાં વાપરે છે. આ સેવા માટે કોઇ પણ ગામ કે શહેરમાં પણ વાયક મળે તો ભજન સંધ્યા સંતવાણી કાર્યક્રમ આપવા જાય છે. કોઇ પણ વ્યકિતની પુણ્યતિથિ નિમિતે કે કોઇ ધર્મ કાર્યમાં ભજન સંધ્યા કે સંતવાણી કાર્યક્રમ કરાવવો હોય તો ખીમજીભાઇ કણઝરીયા મો.નં. ૯૮૭૯૪ ર૦૧૧૯ તેમજ રામજીભાઇ સિંધવ મો.નં. ૯૭ર૩૬ ૮ર૯૯૭ તથા હસમુખભાઇ ગજ્જર મો.નં. ૯૮૭૯૪ પ૭ર૬૧ ઉપર સંપર્ક કરી શકે છે.(૪.૫)

(11:54 am IST)