Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

જામજોધપુરના લાલજીભાઈ વાછાણીનું ચક્ષુદાન

ધોરાજી : જામજોધપુર ગામના ખેડૂત લાલજીભાઈ ગોવિંદભાઈ વાછાણીનું અવસાન થતા ચક્ષુદાન અંગે પરિવારજનોએ ધોરાજી માનવસેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરતા સરકારી હોસ્‍પિટલના અધિક્ષક ડોક્‍ટર જયેશભાઈ અને મેડિકલ ટીમના રોહિત સોંદરવા, દીપક ભાસ્‍કર, અને રાકેશ પરમાર સહિતનાઓએ ચક્ષુદાન પ્રક્રિયા કરેલ હતી. આ તકે હરસુખભાઈ વાછાણી, ગોરધનભાઈ વાછાણી, પરસોત્તમભાઈ વાછાણી, કમલેશભાઈ વાછાણી, જેઠાલાલ મેઘપરા, રેશ્‍માબેન કનેરીયા, સેજલબેન ખાંટ, નયનભાઈ ભાલોડીયા, સંજયભાઈ કનેરિયા અને સેવાભાવી ડોક્‍ટર દીપકભાઈ મેઘપરા અને ડોક્‍ટર ભાલોડીયા સહિતના હાજર રહેલ હતા. આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકીએ વાછાણી પરિવારની સેવાઓને બિરદાવી  સ્‍વ. લાલજીભાઈ વાછાણીને શ્રદ્ધા સુમન અર્પણ કરેલા હતા. માનવસેવા યુવક મંડળને ૧૧૬ ચક્ષુદાન મળેલ છે. ચક્ષુદાન માટે ૯૮૯૮૭૦૧૭૭૪ ધર્મેન્‍દ્ર બાબરીયા અથવા ૯૮૯૮૭૧૫૭૭૫ ભોલાભાઈ અને ૦૨૮૨૪-૨૨૦૧૩૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે ચક્ષુદાન ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઘેર હોસ્‍પિટલ કે સ્‍મશાન ગળહ ખાતે થઈ શકે છે.

(11:39 am IST)