Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

મોરબીમાં પ્રેમી સાથે મળીને પત્‍નિએ પતિને મોતને ઘાટ ઉતાર્યો

યાસ્‍મીન ઉર્ફે આરતી પ્રેમી જુમા સ્‍વજણ માજોઠી સાથે ઘર માંડીને રહેતી હોવાથી ડખ્‍ખો : હત્‍યા કરીને મૃતદેહ જમીનમાં દાટી દીધો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૩: મોરબીના કાંતિનગર વિસ્‍તારમાં ચકચાર બનાવ સામે આવ્‍યો છે જેમાં પત્‍ની અને પ્રેમીએ મળીને પતિને મોતને ધાટ ઉતારી દઈને જમીનમાં દાટી દીધો હતો જેને પગલે કાંતિનગર વિસ્‍તારમાં ચક્‍ચાર મચી જવા પામી છે આ બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસને થતા પોલીસે સ્‍થળ પર દોડી જઈને મળતકના મળતદેહને જમીનમાંથી બહાર કાઢીને ફોરેન્‍સિક માટે મોકલીને બનાવ અંગે ગુન્‍હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના કાંતિનગર વિસ્‍તારમાં એક વ્‍યક્‍તિને જમીનમાં ખાડો કરી દાટી દીધો હોવાનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઇ હતી અને  બનાવ અંગે વધુ તપાસ ચલાવી હતી.

બનાવમાં મોરબીના કબીર ટેકરી વિસ્‍તારમાં રહેતો શૈલેષભાઈ અગેચાણીયાની પત્‍ની આરોપી યાસ્‍મીન ઉર્ફે આરતી શૈલેષભાઈ અગેચાણીયાને આરોપી જુમા સાજણ માજોઠી સાથે ઘર માંડી રહેતી હોય જેથી શૈલેષભાઈ અગેચાણીયાને ગમતું ન હતુ. જેથી ગત તા.૨૭ થી તા.૩ સુધીના સમય ગાળા વચ્‍ચે કોઈ પણ સમયે આરોપીઓ યાસ્‍મીન ઉર્ફે આરતી અને જુમા માજોઠીએ શૈલેષને કોઈ પણ રીતે આરોપી જુમા માજોઠીના ઘરે બોલાવી કોઈ પણ રીતે મારી નાખી ઘરના પાછળના ભાગે ખાડો કરી દાટી દઈ પુરાવાનો નાશ કર્યો હોવાની ફરિયાદ મરણ જનાર શૈલેષભાઈના બહેન સુમિતાબેન સંજયભાઈ અગેચાણીયાએ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે મળતકના મળતદેહને બહાર કાઢીને ફોરેન્‍સિક માટે ખસેડવામાં આવ્‍યો છે અને ગુન્‍હો નોધી વધુ તપાસ ચલાવી છે.

(11:22 am IST)