Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

જામનગરમાં વરમોરા ગ્રુપના શોરૂમનો શુભારંભ

જામનગર તા.ર : જામનગરમાં વરમોરા ગ્રુપનો શોરૂમ સીરામીક ચોકનો ભવ્ય શુભારંભ વરમોરા ગ્રુપના ફાઉન્ડર શ્રી અશોકભાઇ અને હાર્દિકભાઇ દ્વારા શુભારંભ કરેલ છે.

વરમોરા કંપનીના ડાયરેકટર રાજુભાઇ દેત્રોજા અને કંપનીના જનરલ મેનેજર દિલીપ ચાંદવાનીએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપેલ છે. તદ્દઉપરાંત શ્રી ભવાન માકડીયા, શ્રી ગૌરાંગ હીરાણી, શ્રી રાજેન્દ્રસિંગ, શ્રી નીમીત દવે, શ્રી હરદીપસિંહ જાડેજા, શ્રી અભિ ચાવડા, શ્રી ભાવેશ મદુએ ભી હાજરી આપેલ છે. શ્રી વિમલ ભટ્ટ (સીરામીક બેઠક)એ કહ્યુ હતુ કે, બિલ્ડર્સ, આર્કીટેકને નવી ટાઇલ્સ અને સેનેટરી વેર્સની નવી રેન્જની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને હીરજી મીસ્ત્રી રોડ જામનગર ખાતે આ શોરૂમ સીરામીક ચોક જ રપ૦૦ ફુટનો વરમોરા યુનિવર્સ શોરૂમ છે.આ અવસર ઉપર વરમોરાના ડાયરેકટરશ્રી રાજુભાઇ દેત્રોજા અને જનરલ મેનેજર શ્રી દિલીપ ચાંદવાનીએ બતાવ્યુ હતુ કે, મહત્વકાંક્ષી યોજના અંતર્ગત કંપની પોતાના સહયોગી ડીલર્સની સાથે જામનગર તથા અન્ય શહેરોમાં ઓપનીંગ કરવા જઇ રહેલ છે. આ વરમોરા કંપનીનો ૯પ નંબરનો યુનિવર્સ શોરૂમ છે. સૌરાષ્ટ્રમાં ર નંબરનો શોરૂમ છે. આ રીતે એક સાંકળ બનાવીને ભારતની તમામ ટાઇલ્સ ખરીદાર સાથે જોડાવાની કંપનીએ ઇચ્છા વ્યકત કરેલ છે.(૩-૧૩)

 

(5:31 pm IST)