Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

જસદણના નાયબ મામલતદાર નિવૃત : વિદાય અપાઇ

જસદણ : પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સુનિલભાઇ સીંકર વયમર્યાદાને લીધે નિવૃત થતા તેમને સ્ટાફ દ્વારા વિદાય અપાઇ હતી. સુનિલભાઇ જસદણની કચેરીમાં લાંબા સમયથી કામ કરી હજારો અરજદારો અધિકારીઓ સાથે સાથી કર્મચારીઓની ચાહના મેળવી હતી. પોતાની ફરજના ભાગરૂપે આવેલ દરેક કામો આસાનીથી પાર પાડયા હતા. સુનિલભાઇએ પોતાની ફરજો માટે હંમેશા તત્પરતા દાખવી લોકોના કાર્યો કર્યાની ખાસ નોંધ લેવાઇ હતી.

(11:48 am IST)