Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

કોડીનાર પાસે અદાણી પરિવારને અકસ્માત

રાજકોટઃ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પાસે અદાણી પરિવારને અકસ્માત નડતા તાબડતોબ કોડીનારની અંબુજા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાઃ જ્યાંથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ એમ્બ્યુલન્સ મારફત દિવ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી હવાઈ માર્ગે તેઓને મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાઃ આ ઈજાગ્રસ્તો ઉદ્યોગપતિ-અદાણી પરિવારના નજીકના સંબંધી હોવાનુ પણ ચર્ચાય રહ્યુ છે, જો કે આ અકસ્માત અંગે કોઈ  પોલીસ ફરીયાદ   કે તંત્રને જાણ કરવામાં ન આવી  હોવાનુ ચર્ચાય રહ્યુ છેઃ આ અકસ્માતમાં ૩ થી ૪ વ્યકિતઓને ઈજા થયાનું જાણવા મળ્યુ છે

(4:12 pm IST)