Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

સોમનાથ -કોડિનારને જોડતા હિરણના જર્જરિત પુલનું ફરીવાર નિરીક્ષણ કરાયું

નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમે ચેકીંગ હાથ ધરતા અઢી કલાક વાહન વ્યવહાર બંધ

સોમનાથ કોડીનારને જોડતા હીરણના જર્જરીત પુલની ફરી એકવાર નીરિક્ષણ હાથ ધરાયુ છે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા આ પુલનું ચેકીંગ હાથ ધરાયું હતુ.

 વર્ષ ૧૯૬૦માં બનેલો આ પુલ અનેક વખત જર્જરિત થવાથી સમારકામ કરી ફરી ચાલુ કરી દેવાય છે. આ વખતે પણ ગાબડુ પડવાને કારણે નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમે પુલની કેપેસીટીનું ચેકીંગ કર્યુ હતુ. વહેલી સવારે સાત વાગ્યાથી ચેકીંગ હાથ ધરાતા અઢી કલાક વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. જેના કારણે સોમનાથ આવતા યાત્રીકો અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

(12:33 pm IST)