Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

જામકંડોરણામાં સ્નેહમિલન સંપન્ન

જામકંડોરણા : કન્યા છાત્રાલય પથિકાશ્રમ ખાતે નૂતન વર્ષ નિમીતે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતીમાં  સ્નહમિલન યોજાયું હતું. અહીં વિઠલભાઇ રાદડીયા છેલ્લા વીશેક વર્ષથી બેસતા વર્ષે સ્નેહ મિલન યોજવામાં આવતું હતું. જે પરંપરા મુજબ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતીમાં આ વર્ષે પણ સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં તાલુકાના સહકારી ક્ષેત્રના આગેવાનો, સરપંચશ્રીઓ,સામાજીક આગેવાનો, ખેડૂતો તેમજ લોકોએ હાજર રહી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રી રાદડીયાએ દરેક લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી, આ તકે રાજકોટ જીલ્લા દૂધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, માર્કેટ યાર્ડના ચેરમેન વિઠલભાઇ બોદર, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચોૈહાણ, લલિતભાઇ રાદડીયા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી તે પ્રસંગની (તસ્વીર : મનસુખ બાલધા)

(11:43 am IST)