Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

લખતર નજીક અકસ્માતમાં યુવકનું મોત : ૩ને ઇજા

પ્રથમ તસ્વીરમાં ઘટના સ્થળે અકસ્માતગ્રસ્ત કાર અને બીજી તસ્વીરમાં ઇજાગ્રસ્ત કિશન રાણપરા નજરે પડે છે.

વઢવાણ, તા. ૧: સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકાના જમર ગામના પાટીયા પાસે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યકિતનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. જયારે ત્રણ વ્યકિતને સારવાર માટે ખસેડાયા હતાં.

આ બનાવ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર-અમદાવાદ હાઇ-વે ઉપર કાર (નં.જી.જે. ૧-કેઆર-૩૭૩૭)માં ૩ થી ૪ વ્યકિતઓ રાજસ્થાન તરફથી ફરીને પરત ફરી રહ્યા હતાં ત્યારે કાર ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.

આ અકસ્માતમાં મૂળ બગસરાનો અને હાલ રાજકોટના રણછોડનગરમાં રહેતા અને ફાર્મસીનો ભાગીદારીમાં વ્યવસાય કરતા મહમદ સમસુદીનભાઇ ત્રવાડી (વ્હોરા) (ઉ.વ.ર૮)નું મોત નિપજયાનું જાણવા મળેલ છે.

આ અકસ્માતમાં રાજકોટના અંબિકા પાર્ક પાસે ઇન્દ્રપ્રસ્થમાં રહેતા કિશન કમલેશભાઇ રાણપરાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડેલ છે.

આ અકસ્માત સર્જાતા સુરેન્દ્રનગર-અમદાવાદ હાઇ-વે ઉપર ટ્રાફીક જામ થઇ જતા પોલીસે વાહન વ્યવહાર પૂર્વવતઃ કરાવ્યો હતો.

(4:14 pm IST)