Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

માંગરોળમાં ખેડૂતનાં બંધ મકાનમાંથી રૂ. ૮૬ હજારની રોકડનો હાથફેરો

જૂનાગઢ તા. ર :.. માંગરોળમાં પોરબંદર રોડ પર આવેલ મિલ્લતનગરમાં રહેતા અને ખેતી કરતાં અબ્દુલ કાદીરભાઇ ઉદીયા-મુસ્લિમ તા. ર૯ ના રોજ મકાનને તાળા લગાવીને પરિવાર સાથે જૂનાગઢ ગયા હતાં.

ત્યારે પાછળથી બંધ મકાનનાં તાળા, દરવાજાનાં નકુચા તોડીને તસ્કરો કબાટમાંથી રૂ. ૮૬ હજારની રોકાડની ચોરી કરીને નાસી ગયા હતાં.આ અંગે ગઇકાલે જાણ થતા પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી. (પ-૧૬)

(11:42 am IST)