Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ટંકારાના સજનપર ગામે દીવો પડતા દાઝી ગયેલા વૃદ્ધાનું મોત

ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા વૃધ્ધા પર દીવો પડતા તેઓ દાઝી જતા સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે
   બનાવની પોલીસ મથકેથી મળતી વિગતો પ્રમાણે ટંકારાના સજનપર (ઘુ) ગામના રહેવાસી મોંઘીબેન પાલાભાઇ જાદવ (ઉ.વ.૮૦) નામના પરિણીતા પર પોતાના ઘરે દીવો પડતા શરીરે દાઝી જતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન વૃધ્ધાનું મોત થયું છે તો ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

(4:16 pm IST)