Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સોમનાથ ત્રીવેણી સ્મશાને કોરોના ૩ મૃતદેહોની અંતિમવીધી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨: સોમનાથ ત્રીવેણી સ્મશાન ઘાટે ૪૮ કલાકમાં ૩ મૃતદેહોની  અંતિમ વીધી કરાયેલ હતી. સીવીલ હોસ્પીટલમાં કોરોનાના ૩ દર્દીઓ સારવાર લઈ રહેલ હોય તેમ જાણવા મળેલ છે.

વેરાવળ સોમનાથ વિસ્તારમાં કોરોનામાં દર્દીઓમાં ઘણો ઘટાડો થયેલ હતો હાલ પણ ત્રણ દર્દીઓ સારવાર લઈ રહેલ છે પણ છેલ્લા ૪૮ કલાકની અંદર સરકારી તેમજ ખાનગી હોસ્પીટલોમાં સારવાર લેતા ૩ દર્દીઓના કોરોનામાં મૃત્યુ થયેલ હોય તેમ સોમનાથ ત્રીવેણી સ્મશાન ઘાટેથી જાણવા મળેલ છે.

અચાનક મૃત્યુનો બનાવો બનતા આરોગ્ય ક્ષેત્રમાં પણ દોડધામ વધી ગયેલ છે જેથી જીલ્લાના તમામ શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં તકેદારી રાખવા માટે માંગ ઉઠી છે તેમજ બેકાબુ ભીડ અનેક મોટા મોટા આયોજનોથી મુશ્કેલીઓ વધવાની શકયતાઓ પણ નકારી શકાતી નથી.

(1:18 pm IST)