Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જામનગર વિહિપ દ્વારા બાલા હનુમાન મંદિરે પ૮ વર્ષે પ્રેમભિક્ષુજી મહારાજને પુષ્પાંજલિ

જામનગર : છોટી કાશી ગણાતા જામનગરમાં જ્યાં શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ રામધૂન ચાલે છે. તેવા વિશ્વવિખ્યાત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા શ્રી બાલા હનુમાનજી સંકીર્તન મંદિર ખાતે રવિવારે ૫૮ માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે રામનામની અલખ જગાવનાર શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ કરી બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, કોષાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, જિલ્લા પ્રચાર-પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા સહિતના હોદ્દેદારોએ બાલા હનુમાન મંદિરે ખાસ જઈને બાલા હનુમાન મંદિર ટ્રસ્ટના મંત્રી વિનુભાઈ તન્ના સાથે બાલા હનુમાન મંદિરના દર્શન કરી પ્રેમભિક્ષુજી મહારાજના સ્મૃતિ મંદિરે પણ દર્શન કર્યા હતા અને ૫૮ માં વર્ષે પ્રવેશ કરી રહેલા બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટીઓને પણ ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

(1:13 pm IST)