Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

વેરાવળમાં વાહનમાંથી પડી જતાં મહેશભાઇ નિમાવતનું મોત

એકલવાયુ જીવન જીવતા'તાઃ રાજકોટમાં મોત

રાજકોટ તા. ૨: સોમનાથ વેરાવળ રહેતાં મહેશભાઇ દુર્લભભાઇ નિમાવત (ઉ.વ.૪૨) ગઇકાલે વેરાવળમાં ટાટા મેજીક વાહનમાંથી પડી જતાં ઇજા થતાં વેરાવળ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા. પરંત્ુ અહિ રાત્રીના સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે વેરાવળ પોલીસને જાણ કરી હતી. મૃતક પાંચ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. વર્ષો બાદ તેના છુટાછેડા થઇ ગયા હતાં. તેઓ વેરાવળમાં રહી છુટક મજૂરી કરી એકલવાયુ જીવન જીવતાં હોવાનું તેમના મોટા ભાઇ અશોકભાઇ નિમાવતે જણાવ્યું હતું.

(11:14 am IST)