Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

રોજગારી માટે ભુજ આવેલા વેરાવળના યુવાને આર્થિક તંગીથી કંટાળી જીવ દીધો

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) કોરોના કાળમાં આર્થિક તંગી ના પંજાએ અનેક પરિવારોને પોતાની ભીંસમાં લીધા છે. ત્યારે આર્થિક તંગીને કારણે આપઘાતના બનાવોનું પ્રમાણ પણ વધ્યું છે. ચિંતાજનક પરિસ્થિતિમાં બેરોજગારી એ ગુજારો મુશ્કેલ બનાવ્યો છે. મૂળ વેરાવળના અને આર્થિક તંગી વચ્ચે ભુજ કમાવવા માટે આવેલા ૨૬ વર્ષના યુવાને બેરોજગારીથી કંટાળીને જીવ દીધો હતો. ૨૨ દિવસ પહેલાં ભુજમાં હમીરસર તળાવ પાસે વિશાલદિપ નગાભાઈ વાજા નામના ૨૬ વર્ષીય યુવાને વખ ઘોળ્યું હતું. સારવાર દરમ્યાન તેનું મોત નીપજતાં પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરતાં મૃતક યુવાનના પરિવારજનોએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી બેરોજગાર વિશાલદિપે કામ ધંધો ન મળતાં ઝેરી દવા પી આત્મઘાતી પગલું ભર્યું હતું.

(9:29 am IST)