Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

કચ્છમાં કોરોનાએ લીધો વધુ એક ભોગ : જીએમડીસીના ઇજનેર જહિરઅલી મકરાણીનું મોત: મૃત્યુ આંક 9 થયો

તેઓ ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવી બીમારીથી પીડાતા હતા

ભુજ :  કચ્છમાં કોરોનાએ વધુ એક ભોગ લીધો છે. વર્માનગર કોલોનીમાં રહેતા જીએમડીસીના ઈજનેર જહિરઅલી મકરાણીનું (ઉં.૫૨)નું આજે અવસાન થયું છે. ગત ૨૬/૬ ના તેમનું  કોરોનાનું પરીક્ષણ પોઝિટિવ આવ્યું હતું. આજે તેમની તબિયત વધુ બગડતા તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે, તેઓ ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવી બીમારીથી પીડાતા હતા. કચ્છમાં કોરોનાનો મૃત્યુ આંક વધીને ૯ થયો છે.

(10:37 pm IST)