Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

જામકંડોરણાના મેઘાવડમાં પત્નિ સાથે ઝઘડો થતાં કાજૂભાઇનો આપઘાત

દાહોદના યુવાને ઝેર પીધું: રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨: જામકંડોરણાના મેઘાવડ ગામે રહેતાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં મુળ દાહોદ ગરબાળાના કાજુભાઇ રત્નાભાઇ બીલવાલ (ઉ.૩૫) નામના યુવાને ૨૮મીએ વાડીએ ઝેરી દવા પીલેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ રાત્રીના તેનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ જામકંડોરણા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પત્નિ સાથે સામાન્ય બાબતે ઝઘડો થતાં તેણે આ પગલુ ભરી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું.

(11:44 am IST)