Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસમાં એકાએક ઉછાળો થતા કાલથી સોની બજાર ૮ દિવસ બંધ રાખવાની જાહેરાત કરતું સોના ચાંદી વેપારી એસોસિયેશન

ધોરાજી :::સોના-ચાંદી વેપારી એસોસીએશન ના પ્રમુખ સુરેશભાઈ લાઠીગરા એ એક યાદીમાં જણાવેલ કે ધોરાજીમાં કોરોના પોઝિટિવ નું સંક્રમણ વધતા સાવચેતી ના પગલારૂપે ધોરાજીની સોની બજાર આવતીકાલ શુક્રવારથી આવતા શુક્રવાર આઠ દિવસ સુધી સંપૂર્ણ બંધ પાળશે

સુરેશભાઈ લાઠીગરા એ વધુમાં જણાવેલ કે ધોરાજીમાં કોરોના નો કાળો કેર અને સંક્રમણ વધુ ના વધે તે હેતુથી અમારા સોના-ચાંદી વેપારી એસોસિયેશને મહત્વનો નિર્ણય લીધો છે.

 અને વેપારીઓએ પોતાની દુકાનો શોરૂમ તમામ ધંધા સંપૂર્ણપણે આઠ દિવસ સુધી બંધ રાખી સરકારશ્રીના નિયમનું ચુસ્તપણે પાલન કરશે તેમ જણાવ્યું હતું.

(11:16 am IST)