Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

થાનના હરિનગરમાં દાઝી જતાં બાવાજી પરિણિતા સંગીતા દૂધરેજીયાનું મોત

વગડીયા માવતર ધરાવતી યુવતિના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતાં

રાજકોટ તા. ૨: થાનના હરિનગરમાં રહેતી બાવાજી પરિણીતાનું દાઝી જતાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

થાન રહેતી સંગીતાબેન રાધેશ્યામ પરશુરામ દુધરેજીયા (ઉ.૨૩) સાંજે પાંચેક વાગ્યે ઘરે દાઝી જતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ રાત્રીના મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલાએ થાન પોલીસને જાણ કરી હતી. સંગીતાબેન સ્ટવ પર ચા બનાવતી હતી ત્યારે સ્ટવ ફાટતા ભડકો થતાં દાઝી ગયાનું પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં જણાવાયું હતું.

મૃત્યુ પામનાર સંગીતાબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. તેણીના માવતર વગડીયા માનપર ગામે રહે છે. પતિ રાધેશ્યામ છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. બનાવ આકસ્મિક રીતે જ બન્યો કે કેમ? તે અંગે થાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:30 am IST)