Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

કચ્છના વયસ્ક વિદ્વાન સંત પૂ. ગિરિજાદત્ત ગિરીજી મહારાજ બ્રહ્મલીન થયા

(ભુજ) કચ્છના વયસ્ક વિદ્વાન સંત પૂ. ગિરિજાદત્ત ગિરિજી મહારાજ આજે બ્રહ્મલીન થયા છે. આજે શનિવારે સીતાનવમીના રોજે બપોરે ૩ વાગ્યે તેઓ બ્રહ્મલીન થયા. માંડવી તાલુકાના નાના રતડીયા ગામે આવેલ આશાપુરા જાગીરના પીઠાધીશ્વર પ.પૂ. ૧૦૦૮ સદગુરુ ગિરિજાદત્તજી મહારાજ કચ્છ અને કચ્છ બહાર બહોળો અનુયાયી વર્ગ ધરાવતા હોઈ તેમના બ્રહ્મલીન થયાના સમાચારને પગલે શોકનું મોજું ફરી વળ્યું છે. કચ્છમાં સૌથી વયસ્ક એવા પૂ. ગિરિજાદત્તજી મહારાજ ખૂબ જ વિદ્વાન હતા.

(5:35 pm IST)