Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

ટેકાના ભાવે કપાસ ખરીદવા કાલાવડ કેન્દ્ર મંજુર

જામજોધપુર તાલુકાનાં ખેડુતો નોંધણી જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં કરી શકશે

જામજોધપુર તા. ર : પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરિયા તથા માર્કેટીંગયાર્ડના પ્રમુખ દેવાભાઇ પરમારના પ્રયાસથી સી.સી.આઇ. ખરીદી કેન્દ્ર કપાસ ટેકાના ભાવે ખરીદવાનો કાલાવડ કેન્દ્ર મંજુર થયેલ છે. જો જામજોધપુર તાલુકાનાં ખેડુતોને ટેકાના ભાવે કપાસ વહેચવા માગતા હોય તેવા ખેડુતો માટે જામજોધપુર માર્કેટીંગ યાર્ડ મુકામે નોંધણી કરવાની વ્યવસ્થા રાખેલ છે. તેમજ કપાસ વહેચવા માગતા ખેડુતોએ કપાસ કાલાવડ માર્કેટીંગ યાર્ડ મુકામે પોતાના ખર્ચે મોકલવાનો રહેશે.

(11:28 am IST)