Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ધોરાજીમાં વોંકળા, બુગદાની સફાઇ

ધોરાજી : અહીયા ચોમાસા પુર્વે વરસાદી પાણીનો નિકાલ સરળતાથી થાય તે માટે  ગુજરાત સ્થાપના દિન નિમિતે નગરપાલીકા દ્વારા ભુતનાથ મંદિર વિસ્તારમાં વોંકળા અને બુગદાની સફાઇ હાથ ધરાઇ હતી. વિસ્તારમાં પાણી ન ભરાઇ એ માટે રાજાશાહી સમયે બનાવેલા વિશાળ બુગદામાં પાલીકાના એનીટેશન વિભાગનાં હાનીફમીંયા, શૈલેષભાઇ, વોટર વર્કસનાં અમીષભાઇ અંટાળા, ધર્મેશભાઇ રાજયગુરૂ સહિત વિવિધ આગેવાનો, કર્મચારીઓએ જેસીબી અને ટ્રેકટરો વડે સફાઇ હાથ ધરાવી હતી.(તસ્વીર :- કિશોર રાઠોડ, ધોરાજી)

(1:26 pm IST)