Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ભાવનગરના પાવઠીમાં દાઝી ગયેલ પિતાનું મોતઃ મૃત્યુઆંક ૩

ભાવનગર તા.૨: ભાવનગર જીલ્લાના પાવઠી ગામે રહેણાંક મકાનમાં આગ લાગતા બનેલી દુર્ઘટના માં દાઝી ગયેલ પિતાનું પણ સારવાર દરમ્યાન મોત નિપજતાં આ બનાવનો મૃત્યુઆંક ત્રણ થયો છે.

માતા-પુત્ર બાદ પિતાનું પણ મોત નિપજયું છે અને હજુ એક પુત્ર સારવારમાં છે. ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાનાં પાવઠી ગામે શ્રમજીવી ભુપતભાઇ ચિથરભાઇ સોલંકી ઉ.વ.૩૨ના મકાનમાં ગઇ રાત્રે આગ લાગતાં ભુપતભાઇના પત્ની, બાળકો સહિત આખો પરિવાર ગંભીર રીતે દાઝી ગયેલ જેમાં ગઇકાલે ભુપતભાઇ ના પત્ની વર્ષાબેન ઉ.વ. ૩૦ તથા પુત્ર હિતેશ ઉ.વ.૯ના મોત નિપજયા હતા. આજે સારવાર દરમ્યાન ુભુપતભાઇનું પણ મોત નિપજતા બનાવનો મૃત્યુઆંક ૩ સુધી પહોંચી ગયો છે. આ બનાવ અંગે તળાજા પોલીસ તપાસ ચલાવી રહી છે. (૧.૧૦)

(12:00 pm IST)