Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

જૂનાગઢ સાંપ્રત એજયુકેશન ટ્રસ્ટનાં દિવ્યાંગ બાળકો શ્રી સોમનાથ મહાદેવના દર્શને

જૂનાગઢ - પ્રભાસપાટણ : દિવ્યાંગ બાળકોની સાર સંભાળ માટે જૂનાગઢ ખાતે ચાલી રહેલ સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર પરમાર દ્વારા બાળકોને સોમનાથ મહાદેવના દર્શને લાવવા લાગણી શ્રી સોમનાથ ટ્રસ્ટ સમક્ષ વ્યકત કરતા ટ્રસ્ટ દ્વારા આ તમામ ૬૦ જેટલા બાળકો ચાલી શકતા ન હોય જે માટે સંલગ્ન વ્યવસ્થામાં વાહન વ્યવસ્થા શ્રી સોમનાથ મહાદેવના દર્શન, પ્રસાદ વિતરણ, પોષણક્ષમ બિસ્કીટ વિતરણ વગેરે કરાયુ હતુ. બાળકોના માનસમાં યાદગાર રહે તેવી તીર્થયાત્રા માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર પરમાર દ્વારા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર તથા વ્યવસ્થામાં જોડાયેલ સૌ કર્મચારીઓનો આભાર વ્યકત કરેલ હતો. (તસ્વીર - અહેવાલ : વિનુ જોષી - જૂનાગઢ, દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)

(11:44 am IST)