Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

'તું કોની હારે છે તે કહી દે' તેવું અવાર-નવાર કહી મનસુખ તેના ભાભી સાથે વારેવારે ઝઘડતો'તો

ચોટીલાના રાજપરામાં ભાભીની હત્યા કરી દિયર થાંભલે ચડી ગયોને વિજતાર પકડી આપઘાત કરી લીધો

વઢવાણ તા. ૨ : ચોટીલાના રાજપરા ગામે સગ્ગા ભાભીની હત્યા નિપજાવી દિયરે આત્મહત્યા કરી લીધાનો બનાવ બનતા પંથકમાં ચકચાર ફેલાયેલ છે.

પોલીસનાં જણાવ્યાનુસાર રાજપરા ગામે ખેતરમાં કપાસ વિણતી મહિલા ભારતીબેન કાળાભાઇ જાદવને તેના સગ્ગા દિયર મનસુખ નાથાભાઈ જાદવએ બોલચાલ કરી છરીનાં પાંચ ઘા મારી હત્યા નિપજાવી નજીકમાં આવેલ વિજ થાભલે ચડી જઇ પસાર થતી વિજ લાઇન ને પકડી આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે.

નજરે જોનાર ફરીયાદી જે ભોગ બનનાર નાં સાસુ અને આત્મહત્યા કરનાર આરોપીની માતા પાખીબેને પોલીસને જણાવેલ કે બાજુનાં ખેતરમાં તેઓ કામ કરતા હતા અને તેમનો નાનો પુત્ર તેના ભાભી સાથે વાતચીત કરતો હતો થોડા સમયમાં પુત્ર છરી વડે ભાભી ઉપર તુટી પડેલ અને પાચેક ઘા મારી દોડી જઇ થાંભલે ચડી જઇ જીવતા વિજતાર પકડી આત્મહત્યા કરી નીચે પટકાઇ પડેલ.

આ ઘટના પાછળ મનસુખને તેના ભાભીને કોઇ સાથે સબંધ હોવાની શંકાને કારણે બનેલ હોવાનું જણાવેલ છેઙ્ગ પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી જઇ બંન્ને લાશને કબ્જે લઇ પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરેલ છે.  આ અંગે નાની મોલડી પોલીસ સ્ટેશનમાં ક. ૩૦૨, જીપીએકટ ક. ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરાયો છે અને નાથાભાઇ ધરમશીભાઇ કોળીના પત્ની (ઉ.૬૦)એ પોલીસને આપેલા નિવેદન મુજબ પોતાના નાનો પુત્ર મનસુખ અવારનવાર ભારતીબેનને 'તું કોની હારે છે તે કહી દે' તેવું કહી ઝઘડતો રહેતો હતો અને ગઇકાલે સવારે પણ 'તું કોની હારે પ્રેમમાં છો તે કહી દે, નહીંતર આજે હું તને મારી નાખીશ અને હું પણ મરી જઇશ.' તેવું કહે હૂમલો કરી દીધેલ હતો.(

(1:16 pm IST)