Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

જુનાગઢમાં ભારતીબાપુના જન્મદિન નિમીતે પ૦૦ કિટોનું જરૂરીયાતમંદોને વિતરણ

જુનાગઢ સરખેજ અમદાવાદ સ્થિત શ્રી ભારતી આશ્રમના સંસ્થાપક અને જુના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પુ. વિશ્વંભર ભારતીજી મહારાજનો ગઇકાલે ૯૧મો જન્મદિન હતો. જે નિમીતે જુનાગઢ ગરીબ લોકોને જીવન જરૂરીયાત ચીજવસ્તુઓની પ૦૦ કિટોનું હરીહરાનંદભારતીબાપુ તેમજ જુનાગઢ ડીસ્ટ્રીકટ જજ બુખારી મેડમ એડી. જજશ્રી આસોદડીયા અને જુનાગઢ મહાનગરપાલિકાના ટેકસ કમિશ્નર શ્રી પ્રફુલ્લ કનેરીયા તથા સ્ટુડીયો સરસ્વતીના નિર્માતા મનોજ અને જોબનપુત્રા સહિતના ઉપસ્થિત રહયા હતા. ઉપરોકત તસ્વીરમાં જરૂરીયાત મંદોને કીટનું વિતરણ થઇ રહયું છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા- જુનાગઢ)

(1:12 pm IST)