Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

જુનાગઢમાં ઇન્દ્રભારતીબાપુના અનુષ્ઠાનની પુર્ણાહુતી

જુનાગઢ : ભવનાથ રૂપાયતન રોડ સ્થિત શ્રી  રૂદેશ્વર જાગીર આશ્રમ ખાતે જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી મહંત પુ. ઇન્દ્રભારતીબાપુ દ્વારા ચૈત્રી નવરાત્રીના અનુષ્ઠાન કરવામાં આવેલ જેની ગઇકાલે હવનાષ્ટમીએ માતાજીનો હવન કરાયો હતો. ઉપરોકત તસ્વીરમાં હવનમાં આહુતી આપતા પુ.બાપુ સાથે સેવક લખનભાઇ ઓડેદરા જસકુભાઇ  ડાંગર સહિતના સેલ્ફ ડીસ્ટેન્સ સાથે ઉપસ્થિત રહયા હતા. પુ.બાપુએ જણાવ્યુ હતું કે આજે ચૈત્રી નવરાત્રીની પુર્ણાહુતી નિમીતે મા જગદંબા પાસે એક જ પ્રાર્થના કરુ છુ કે વિશ્વ પર આવી પડેલ આ કોરોનાની મહામારીના સંકટમાંથી જલ્દી જલ્દી ઉગારી લે અને આ સંકટમાંથી જલ્દી જલ્દી ઉગારી લે અને આ સંકટ વિશ્વમાંથી નાબુદ થાય સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:11 pm IST)