Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

પોરબંદરમાં ખલાસીઓને છુટાં કરીને વતન જવા માટે મજબૂર કરનાર ૫ બોટ માલિકો સામે પોલિસ દ્વારા કાર્યવાહી

પોરબંદર તા. ૨: લોકડાઉન દરમ્યાન બોટમાં  કામ કરતા ખલાસીઓને કામ ઉપરથી છુટા કરીને વતન જવા મજબૂર કરનાર ૫ બોટ માલિકો સામે પોલિસે લોકડાઉન જાહેરનામાં ભંગ અંગેની  કાર્યવાહી કરી છે.

બોટ માલિકો  પ્રતાપભાઇ  ઉર્ફે ગોરી પ્રેમજીભાઇ ગોહેલ, અશોકભાઇ વિંઝાભાઇ,  રામજીભાઇ રણછોડભાઇ, હસમુખભાઇ કાનજીભાઇ મસાણી, તથા મનીષ દેવજીભાઇ ખોરાવાએ પોતાની બોટમાં કામ કરતા ખલાસીઓને છુટા  કરીને રહેવા જમવાની વ્યવસ્થા ન કરીને વતન જવા મજબૂર કરતા તમામ પાંચ બોટના માલિકો સામે પોલિસે કાર્યવાહી કરી છે.

(1:09 pm IST)