Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

વિંછીયાના સનાળા પાસે બે ભરવાડ ભાઇઓ પર ચાર શખ્સોનો હુમલો

સુરાભાઇ ભરવાડ તથા નાનાભાઇ ગોપાલ ભરવાડને રાજકોટ ખસેડાયાઃ કમા, ઘનશ્યામ, મયુર અને શૈલેષ સામે ફરીયાદ

રાજકોટ તા. રઃ વિંછીયાના સનાળા ગામ પાસે વાડીએ ભરવાડ બંધુ પર ચાર કોળી શખ્સોએ માર મારતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ સનાળા ગામમાં રહેતા સુરાભાઇ મશરૂભાઇ ચાનીયા (ઉ.૩૬) તથા તેનો નાનો ભાઇ ગોપાલ ચાનીયા (ઉ.ર૭) બંને પોતાના ઘરે હતા ત્યારે ગામ પાસે વાડીએ ધુળ ભરવા માટે ગયેલા છોકરા સાથે કમા, ઘનશ્યામ, મયુર તથા શૈલેષ ઝઘડો કરતા હોઇ તેથી સુરાભાઇ અને ગોપાલ બંને વાડીએ જતા ચારેય શખ્સોએ બંને સાથે ઝઘડો કરી ઉશ્કેરાઇને લોખંડના પાઇપ વડે મારમારતા દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ચોરય શખ્સો ભાગી ગયા હતા. બાદ બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે વિંછીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)