Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

ધોરાજી ખંભાલીડા રોડ પર પીર શહેનશાહ વલી દરગાહે ઉર્ષ

ધ્રોલ, તા. ર : ધ્રોલ નજીક આવેલા શ્રી મોરાર સાહેબના ખંભાલીડા રોડ પર સુપ્રસિદ્ધ શ્રી હઝરત જાહેર પીર શહેનશાહ વલીની દરગાહ ખાાતે તા. ૪ના રોજ જશ્ને ઉર્ષ યોજવમાં આાવેલ છે.

આ જશ્ને ઉર્ષ પ્રસંગે તા. ૪ ગુરૂવારે બપોરે ચાર વાગ્યે સંદલ તથા સાંજે પાંચ ત્રીસ વાગ્યે આમન્યાઝ (જમણવાર)નો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. તેમજ આજ દિવસે તફરીરનો કાર્યક્રમ રાત્રે દશ કલાકે રાખેલ છે. તકરીર કરવા માટે ધ્રોલ પ્રસિદ્ધ દારૂલ ઉલમના મોલાના મુફતી બાબુલ હુશેન બરકાની દ્વારા રજુ કરવામાં આવશે.

હઝરત ઝાહેર પીર શહેનશાહ વલીની દરગાહ ખાતે યોજાયેલ જશ્ને ઉર્ષ પ્રસંગે દરગાહના  મુંજાવર ઓસમાણ બાપુએ તમામ હિન્દુ-મુસ્લ્મિ ભાઇઓ તથા બહેનોને લાભ લેવા અનુરોધ કરેલ છે. આ ધાર્મિક સ્થળે આજુબાજુના ધ્રોલ-જામનગર, વાંકીયા, ફલા સહિતના સૌરાષ્ટ્રભરના લોકો આ ઉર્ષમાં વિશાળ સંખ્યામાં ઉર્ષમાં જોડાઇને લાભ લેવા જણાવાયું છે. (

(12:37 pm IST)