Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

પોરબંદર : કોસ્ગગાર્ડ દ્વારા ૪૫માં રાઇઝિંગ -ડેની ઉજવણી

દરિયાસુરક્ષા, સમુદ્ર ક્ષેત્રમાં નીયત -અમલી બનાવવામાં કાંઠા વિસ્તારમાં પ્રદૂષણ દૂર કરીને પર્યાવરણ બચાવવા સહિત મહત્વની કામગીરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨: ભારત તટરક્ષક દળ દ્વારા ૦૧ ફેબ્રુઆરીના રોજ '૪૫મા રાઇઝિંગ ડે'ની ઉજવણી કરવામાં આવી હતી. ૧૯૭૮માં માત્ર ૦૭ સરફેસ પ્લેટફોર્મ સાથે શિષ્ટપૂર્ણ શરૂઆત કરનારા આઇસીજીએ અત્યાર સુધીમાં પોતાની ઇન્વેન્ટરીમાં ૧૫૬ જહાજ અને ૬૨ વિમાન સાથે એક પ્રચંડ દળ તરીકે વિકાસ કર્યો છે અને ૨૦૨૫ સુધીમાં તે ૨૦૦ સરફેસ પ્લેટફોર્મ અને ૮૦ એરક્રાફ્ટ ધરાવતું દળ બનવાનું લક્ષ્ય ધરાવે છે.

દુનિયામાં ચોથા ક્રમના સૌથી મોટા તટરક્ષક દળ તરીકે ભારતીય તટરક્ષક દળે ભારતના દરિયાકાંઠાઓની સુરક્ષામાં અને ભારતના સમુદ્રી ક્ષેત્રમાં નિયમનોનો અમલ કરવામાં ખૂબ જ નોંધનીય ભૂમિકા નિભાવી છે. 'વયમ રક્ષામઃ' એટલે કે 'અમે સુરક્ષા આપીએ છીએ'ના મુદ્રાલેખ સાથે, આ સેવાદળે ૧૯૭૭માં તેના પ્રારંભથી આજદિન સુધીમાં ૧૦,૦૦૦થી વધુ લોકોના જીવ બચાવવાનો અને ૧૪,૦૦૦થી વધારે ઘુસણખોરોને ઝડપી લેવાનો શ્રેય પ્રાપ્ત કર્યો છે. ભારતીય તટરક્ષક દળ દ્વારા સરેરાશ, સમુદ્રમાં દર બીજા દિવસે એક વ્યકિતનો કિંમતી જીવ બચાવવામાં આવે છે.

'કોવિડ-૧૯' મહામારીના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે પણ, ભારતીય તટરક્ષક દળે વિશેષ આર્થિક ઝોનમાં પોતાના ૫૦ જહાજ અને ૧૨ વિમાનોની મદદથી દરરોજ ૨૪*૭ ધોરણે ચુસ્ત દેખરેખની કામગીરી જાળવી રાખી હતી. સમુદ્રમાં કોઇપણ પ્રકારની અવ્યવસ્થા અને આ સેવા દ્વારા સંકલિત વાયુ દેખરેખના કારણે ૨૦૨૦માં ભારતીય રૂપિયા ૧૫૦૦ કરોડથી વધુ કિંમતનો પ્રતિબંધિત જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને ગેરકાયદે પ્રવૃત્ત્િ।ઓ કરતા ૮૦ દ્યુસણખોરોને તેમની ૧૦ વિદેશી માછીમારી હોડીઓ સાથે ધરપકડ કરવામાં આવ્યા છે. માત્ર એક વર્ષ પહેલાં જ શરૂ કરવામાં આવેલા 'નિવારાત્મક અને દૃઢ પ્રતિભાવલૃના કામગીરીઓના વલણ સાથે, ગત વર્ષમાં ૧૧ ચક્રાવાતો દરમિયાન ૪૦,૦૦૦ જેટલા માછીમારોને બચાવીને સલામત રીતે બંદરો પર પહોંચાડવામાં આવ્યા છે, આમ સમુદ્રમાં લોકોના જીવન અને સંપત્ત્િ।ની હાનિને ટાળી શકાઇ છે.

પ્રધાનમંત્રીની દૂરંદેશી 'સાગર' તમામ પ્રદેશોમાં સુરક્ષા અને વિકાસલૃને અનુરૂપ, ભારતીય તટરક્ષક દળે શ્રીલંકાના કાંઠા વિસ્તારથી દૂર અંદાજે ૩ લાખ મેટ્રિક ટનના ક્રૂડ ઓઇલ સાથેના ૩૦૦ મીટર લાંબા અત્યંત મોટા ક્રૂડ વાહક જહાજ 'ન્યૂ ડાયમંડ' પર લાગેલી આગને બુઝાવીને અને આ પ્રકારે મોટી ઇકોલોજિકલ આપદા ટાળીને સમુદ્રી ઇતિહાસ રચ્યો છે. વધુમાં, વ્યાપારી જહાજ 'વાકાશીહો'ના ગ્રાઉન્ડિંગ દરમિયાન તેને પ્રદૂષણ પ્રતિભાવ મદદ પણ આપી છે અને ૩૦ ટન પ્રદૂષણ પ્રતિભાવ ઉપકરણો આપ્યા છે તેમજ તાલીમ પૂરી પાડી છે. એકબીજા રાષ્ટ્રોમાં સમુદ્રી ગુનાખોરીને ડામી દેવા અને હિન્દ મહાસાગર પ્રદેશમાં અને પોતાના જવાબદારીના ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષામાં વધારો કરવા માટે સમુદ્રકાંઠો ધરાવતા દેશો સાથે સહયોગથી કામગીરી કરવામાં આવી રહી છે.

સમુદ્રી અને નાગરિક ઉડ્ડયન શોધ અને બચાવ વ્યવસ્થાતંત્રમાં સુલેહ સ્થાપિત કરવા માટે, રાષ્ટ્રીય સમુદ્રી શોધ અને બચાવ બોર્ડ બેઠક યોજવામાં આવી હતી અને ત્યારબાદ SAR કવાયત- ૨૦૨૦ (SAREX-2020)નું આયોજન કરવામાં આવ્યું હતું જેથી સામૂહિક બચાવ કામગીરીઓ માટે હાલમાં અસ્તિત્વમાં હોય તેવા વ્યવસ્થાતંત્રની ચકાસણી થઇ શકે. સમુદ્રી સુરક્ષા અને ગુપ્તચર વચ્ચે તાલમેલ બેસાડવા માટે, હિતધારકો વચ્ચે ગુપ્તમાહિતીનું આદાનપ્રદાનની અસરકારકતા વધારવાના ઉદ્દેશથી પ્રથમ સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ સેવા દ્વારા કેન્દ્ર અને રાજયની એજન્સીઓ સાથે મળીને પણ મજબૂત સમુદ્રકાંઠા સુરક્ષા વ્યવસ્થા તંત્ર તૈયાર કરવા માટે સહયોગપૂર્ણ કામ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણમંત્રીએ ભારતીય તયરક્ષક દળને દેશની ઉત્ત્।મ સેવા માટે આપેલા ૪૪ કિર્તીપૂર્ણ વર્ષના સમાપન પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા અને આ સેવાદળ દ્વારા રાષ્ટ્રના હિતમાં અને સમુદ્રી વિસ્તારોમાં કરવામાં આવેલી કામગીરીઓમાં તેમણે નિભાવેલી ભૂમિકાની સૌએ પ્રશંસા કરી હતી. તેમ વિંગ કમાન્ડર પુનીત ચઢ્ઢાએ જણાવેલ છે.

(1:27 pm IST)