Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

ગીરગઢડા ભાજપના ૩ આગેવાનોએ કોંગ્રેસનો ખેસ પહેરતા રાજકીય ગરમાવો

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૨: ભાજપના પ્રખર ગણાતા ૩ આગેવાનો બાબુભાઇ ભગવાનભાઇ વાઘેલા, ભાવેશભાઇ કરશનભાઇ પરમાર તથા હિતેશભાઇ કાનાભાઇ વાંઝાએ કોંગ્રેસનો ખેસ પહેરી લેતા ચૂંટણી સમયે રાજકીય ગરમાવો આવી ગયો છે.

ગિરગઢડા તાલુકામાં હાલ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચુકયા હોવાથી બન્ને પક્ષો તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે સત્ત્।ાધારી ભાજપ પાર્ટીના પ્રખર આગેવાન(૧) બાબુભાઇ ભગવાનભાઈ વાધેલા અને (૨) ભાવેશભાઈ કરશનભાઈ પરમાર (૩) હિતેશભાઈ કાનાભાઈ વાંઝા યે સત્ત્।ાધારી પક્ષને અલવિદા કરી વિધિવત કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. જૂનાગઢ વેરાવળ બાદ ગિરગઢડાના ભાજપના અગ્રગ્ણ્ય કાર્યકર્તા અને કોળી સમાજમાં સારી નામના ધરાવતા બાબુભાઇ વાધેલા અને તેમની ટીમે ભાજપને બાય. બાય કરી કોંગ્રેસમાં પ્રવેશ લીધો છે. ગિરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાલુભાઈ હીરપરાના હાથે કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારેલ છે.

(11:37 am IST)