Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

દ્વારકાધીશ મંદિરમાં પરિમલભાઇ નથવાણીના જન્મદિને નૂતન ધ્વજાજીનું આરોહણ

જય શાહ, સુરેશ સોની, ધનરાજ નથવાણી સહિતનાની ઉપસ્થિતિ

દ્વારકા : પરિમલભાઇ નથવાણીના જન્મદિને પૂજન - અર્ચન કરાયું તે નજરે પડે છે. (તસ્વીર : દિપેશ સામાણી, દ્વારકા)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૨ : દ્વારકાધીશ મંદિરમાં કાલે સવારે રાજ્યસભાના સાંસદશ્રી પરિમલભાઇ નથવાણીના જન્મદિન પ્રસંગે આજે સવારે રાજભોગની ધ્વજાજીનું નૂતન ધ્વજાજી આરોહણ કરવામાં આવ્યું હતું.

તેમની સાથે બી.સી.સી.આઇ.ના સેક્રેટરી જય શાહ તથા આર.એસ.એસ.ના સુરેશ સોની અને દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણી ઉપસ્થિત રહ્યા હતા.

દ્વારકાધીશજીની પાદુકાનું પૂજન કર્યા બાદ પુજારી પરિવારના નૈતાજીએ આશિર્વાદ આપ્યા હતા. દ્વારકાધીશ મંદિરમાં આજનો આખા દિવસનો મનોરથ નથવાણીએ કરાવ્યો હતો. ધ્વજાજીના સંયુકતરૂપે ગુગળી જ્ઞાતિને દાન - દક્ષિણા અર્પણ કરવામાં આવી હતી.

(11:28 am IST)